Gadhada Pratham 53



ગઢડા પ્રથમ : ૫૩

સંવત 1876ના મહા વદિ 9 નવમીને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા, ને ધોળો સુરવાળ પહેર્યો હતો, ને ધોળો અંગરખો પહેર્યો હતો, ને જરકસી છેડાનું કસુંબલ ભારે શેલું કેડે બાંધ્યું હતું, ને જરકસી છેડાનો ભારે કસુંબલ રેટો માથે બાંધ્યો હતો, ને તે પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા, ને કંઠમાં પુષ્પના હાર પહેર્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ સર્વે મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, કોઈ પ્રશ્ન પૂછો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 53 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં પંચવર્તમાને યુક્ત એવા જે અમારા મોટા સાધુ તેની સ્વાભાવિક પ્રકૃતિ દેખીને તેનો અવગુણ લે તેના ભક્તિ-જ્ઞાનાદિક શુભ ગુણ ઘટી જાય છે અને એવા સાધુનો ગુણ લે તો તેના શુભ ગુણ વૃદ્ધિ પામે છે. અને પંચ વર્તમાનમાં ફેર હોય તો અવગુણ લેવો એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે. (આ સ્વાભાવિક પ્રકૃતિનો ખુલાસો પ્ર. 31ના પહેલા પ્રશ્નોત્તરમાં છે.)

|| -------x------- ||



Leave a Reply