Gadhada Pratham 26



ગઢડા પ્રથમ : ૨૬

સંવત 1876ના પોષ સુદિ 11 એકાદશીને દિવસ બપોરના સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઊગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો, તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો, તથા બે કાનને ઉપર ગુલદાવદીનાં મોટાં બે પુષ્પ ખોસ્યાં હતાં, તથા પુષ્પનો તોરો પાઘને વિષે ખોસ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને પરમહંસ તાળપખાજ લઈને કીર્તન ગાતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 26 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા સંબંધી પંચવિષયમાં પ્રીતિવાન હોય, ને જગત સંબંધી પંચવિષયમાં અભાવ રહે, તે સ્થૂળ દેહ ને જાગ્રત અવસ્થાનો વિવેક છે. અને સ્વપ્નમાં અમારા સ્વરૂપ વિના એટલે મૂર્તિ વિના બીજા વિષયમાં ન લોભાય તે સૂક્ષ્મ દેહ ને સ્વપ્ન અવસ્થાનો વિવેક છે. અને કારણ દેહમાંથી પંચવિષયની સારપ ટાળીને કેવળ અમારી મૂર્તિનું ચિંતવન કરે તે ચિંતવન કરતાં કરતાં દેહાદિકની વિસ્મૃતિ થાય એ કારણ દેહ ને સુષુપ્તિ અવસ્થાનો વિવેક છે અને શૂન્યભાવ એટલે આકાશવત્ નિર્લેપ કહેતાં માયાથી રહિત નિર્ગુણ થઈને પોતાને વિષે અમારી મૂર્તિને જોતાં જોતાં પ્રકાશ થઈ આવે, ને તે પ્રકાશમાં અમારી મૂર્તિ દેખાય છે તે જીવાત્માનો વિવેક છે. (1) અને અમારે વિષે પ્રીતિમાં કોઈ વિષય આડો ન આવે તે વિચાર બળવાન છે. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply