Gadhada Chhellu 36



ગઢડા છેલ્લું : ૩૬

સંવત 1885ના વૈશાખ સુદિ 1 પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ ચઢીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ને તે વાડીને મધ્યે જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો જે,

એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પાછા દાદાખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી જે,

ઇતિ વચનામૃતમ્ || 36 || (270)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને બ્રહ્મજ્યોતિના સમૂહને વિષે અનાદિ સાકાર મૂર્તિ ને સર્વેના અવતારી સમજીને આશ્રય કરે, ને ધર્મે સહિત અમારી ભક્તિ કરે, ને એવી ભક્તિએ યુક્ત સાધુનો સંગ કરે, તે કલ્યાણનું અસાધારણ સાધન છે તેમાં બીજાં કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતાં નથી. (1) અને મહાદુષ્ટ એવા જે શુષ્ક વેદાંતી તેનો સંગ કરવો એ મોટું વિઘ્ન છે. (2) બીજામાં અમારી ઉપાસના ને ધ્યાન એ બે હોય તો આત્મા તથા બ્રહ્મ દેખાય પણ તે વિના તો દેખાય જ નહિ એમ કહ્યું છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply