Sarangpur 1



અથ વચનામૃત સારંગપુર પ્રકરણમ્

સારંગપુર : ૧

સંવત 1877ના શ્રાવણ વદિ 5 પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 1 || (79)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં પંચવિષયનો અતિશે ત્યાગ થાય તો જ મન જીત્યું જાણવું. (1) બીજામાં ત્રણ દેહથી પોતાના આત્માને વિલક્ષણ સમજે અને પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમને વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ તથા બ્રહ્મપુરાદિક ધામોના તથા અનંતકોટી બ્રહ્માંડના પતિઓના સ્વામી જાણે અને અમને પોતાના આત્માને વિષે અખંડ વિરાજમાન જાણે અને અમારા એક રોમના સુખ આગળ અનંત જીવ, પુરુષ, બ્રહ્મ, અક્ષર તેમની કોટીઓનાં જે સુખ તેને અતિશે તુચ્છ જાણે, આવું અમારા સ્વરૂપનું જ્ઞાન થાય તેને જ સર્વે વિષય સુખની વાસનાની નિવૃત્તિ થઈ જાય. (2) અને આવી સમજણ વિનાનું ઝાઝું હેત જણાતું હોય તો પણ સારા વિષયની પ્રાપ્તિ થાય અથવા વિષયનું સુખ મટી જાય ત્યારે હેત રહે નહિ અને વિકળ જેવો થઈ જાય, એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply