Jetalpur 1



અથ વચનામૃત જેતલપુર પ્રકરણમ્

જેતલપુર : ૧

સંવત 1882ના ચૈત્ર સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલની જગ્યામાં આસોપાલવની હેઠે ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે ગુલદાવદીના બહુ હાર પહેર્યા હતા, ને મસ્તક ઉપર શ્વેત પાઘ ડોલરિયાના તોરા તેણે કરીને વ્યાપ્ત હતી, ને બે કાન ઉપર બે કર્ણિકારનાં પુષ્પ ખોસ્યાં હતાં, ને હસ્તને વિષે સુંદર લીંબુના ફળને ફેરવતા હતા, ને દહાડો ચાર ઘડી ચડ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશદેશના સત્સંગી બાઈ-ભાઈ સર્વેની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સર્વે સભા પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

એમ કહીને પછી શ્રીજીમહારાજ મહોલ ઉપર ભોજન કરવા પધાર્યા, પછી ભોજન કરીને પાછા આસોપાલવ હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન થયા, ને સર્વે સંતને ને હરિભક્તને અમૃતદૃષ્ટિએ જોતા થકા શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 1 || (230)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં મુમુક્ષુ પોતાના મોક્ષને અર્થે શુભ કર્મ કરે તો પણ એણે સાંખ્ય જ્ઞાન સિદ્ધ કર્યું નથી ને માયાને મિથ્યા જાણી નથી ત્યાં સુધી તેની દેહાત્મબુદ્ધિ ટળે નહિ ને ઉપાસ્ય મૂર્તિને પણ યથાર્થ દિવ્ય જાણી શકે નહિ તેથી તે શુભ કર્મે કરીને પ્રધાન માયા સુધી પહોંચે; પણ તે પ્રધાન માયારૂપ સુષુપ્તિને ઓલંઘી શકે નહિ, તો સામ્યાવસ્થારૂપ મૂળમાયા તે તો ઓલંઘાય જ કેમ? એ તો સર્વ કર્મ ને માયા તેના નાશ કરનારા અને માયાથી પર સાક્ષાત્ શ્રી પુરૂષોત્તમ ભગવાન જે અમે તે અમારી અથવા અમને મળેલા અમારા સંતની જ્યારે જીવને પ્રાપ્તિ થાય ત્યારે માયા ઓલંઘાય છે. (1) બીજામાં જીવને ઘણાં માણસો માને અથવા કોઈ મોટપ પામે ત્યારે તેને અહંકાર આવે છે, ને સવળા વિચારવાળો એણે કરીને મોટપ ન માને એ તો આત્માવડે ને અમારા સંતના સમાગમવડે કરીને મોટપ માને, અને અમને મળેલા સંતને તો અમારી ઉપાસના ને આત્મનિષ્ઠા તેણે કરીને મોટપ છે, અને એવા અમને મળેલા સંતને વિષે આપોપું કરવું તો ગાલવ રાજાની પેઠે આવરણ ભેદાવે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply