Sarangpur 16

[raw]

સારંગપુર : ૧૬

સંવત 1877ના ભાદરવા સુદિ 5 પંચમીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી પરમાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 16 || (94)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં જેમ સૂર્ય સર્વને પ્રકાશ કરી આપવા ઉદય થાય છે પણ સૂર્યથી વિપરીત બુદ્ધિવાળા જે ઘુવડ તથા અંધને કામ નથી આવતો તેમ નરનારાયણ ભગવાન સર્વ જીવના કલ્યાણ સારુ તપ કરે છે, પણ ભગવાનથી વિમુખ ઘુવડ તુલ્ય જીવોને તથા અંધવત્ અજ્ઞાની જીવોને ઉપયોગમાં નથી આવતું; ભક્તને જ ઉપયોગમાં આવે છે. અને જેમ સૂર્ય તથા મશાલના પ્રકાશમાં પાપી પાપને માર્ગે ચાલે છે અને પુણ્યવાળા પુણ્યને માર્ગે ચાલે છે તેને સૂર્ય તથા મશાલ સમદૃષ્ટિએ પ્રકાશ કરી આપે છે, તેમ નરનારાયણ ભગવાન સમદૃષ્ટિએ સૂર્ય મશાલવત્ તપ રૂપી પ્રકાશ કરી આપે છે પણ પ્રેરણા કરતા નથી, તેમાં જે જીવ જેવાં કર્મ કરે છે તેને તેવા ફળને પમાડે છે એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (1) બાબત છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply