Panchala 1



અથ વચનામૃત પંચાળા પ્રકરણમ્

પંચાળા : ૧

સંવત 1877ના ફાગણ સુદિ 4 ચોથને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો, તથા ધોળો અંગરખો પહેર્યો હતો, તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી, અને માથાના ફેંટાનો પેચ જમણી કોરે છૂટો હતો, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયમાં સંધ્યા આરતી થઈ રહી તે કેડે શ્રીજીમહારાજ તકિયા ઉપર વિરાજમાન થઈને બોલ્યા જે, અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ જે,

ઇતિ વચનામૃતમ્ || 1 || (127)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમારે વિષે હેત ને ધર્મમાં નિષ્ઠા હોય તો પણ અમારા મહિમારૂપી વિચારને ન પામ્યો હોય તો સારા ને ભૂંડા વિષય સરખા ન થાય અને સારા વિષય ભૂંડાથી પણ ભૂંડા ન થાય. અને અમારા અંગનો એટલે અમારો પ્રકાશ તે જ અક્ષરબ્રહ્મ છે તથા અમારે રહ્યાનું ધામ છે અને અમને સર્વકર્તા સદા સાકાર દિવ્ય મૂર્તિમાન જાણે ને સર્વના સુખથી અમારા સુખને અતિશે અધિક જાણે ને સર્વના સુખના દાતા જાણે તો અમારા સુખ વિના બીજાં સર્વ સુખ અતિશે તુચ્છ થઈ જાય. (1) અને આવો મહિમા ન જાણે તો રમણીક વિષયમાંથી વૃત્તિ માંડમાંડ ઊખડે અને આવો મહિમા સમજે તો વિષયની તુચ્છતા થઈ જાય. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply