Kariyani 1



અથ વચનામૃત કારિયાણી પ્રકરણમ્

કારિયાણી: ૧

સંવત 1877ના ભાદરવા સુદિ 12 દ્વાદશીને દિવસ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપરપલંગ લાવ્યા હતા તે ઢાળ્યો હતો, ને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓછાડે સહિત બિછાવ્યું હતું, ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મશરૂનાં ઢીંચણિયાં મૂક્યાં હતાં, ને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબના સેજબંધ લટકતા હતા, એવી શોભાએ યુક્ત જે પલંગ તેની ઉપર શ્રીજીમહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા, અને સોનેરી છેડાનો ધોળો ફેંટો મસ્તકે બાંધ્યો હતો, અને સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું, ને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને શ્રીજીમહારાજના મુખારવિંદરૂપ ચંદ્રમા સામા ચકોરની પેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા.

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે, માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો ત્યારે ભૂધરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

Leave a Reply