Gadhada Pratham 24



ગઢડા પ્રથમ : ૨૪

સંવત 1876ના પોષ સુદિ 6 છઠને દિવસ સંધ્યા સમે શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઊગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, ને ધોળો ખેસ પહેર્યો હતો, તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે,

પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 24 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં જ્ઞાને કરીને સ્થિતિ થાય ત્યારે એકરસ ચૈતન્ય ભાસે છે ને એ ચૈતન્યને વિષે અમારી મૂર્તિ ભાસે છે. (1) અને એવી સ્થિતિ અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાથી થાય છે. (2) અને અમારો મહિમા જણાય તેના હૃદયમાં પ્રકાશ થાય છે, ને પ્રણવ ને નાદ સંભળાય છે, ને ભૂંડા ઘાટ ટળી જાય છે. (3) અને અમારે વિષે જે જે દોષ કલ્પે તે એને દુ:ખ દે છે. અને અમને નિર્દોષ જાણે તે નિર્દોષ થઈ જાય છે. (4) બીજામાં જેનું મન સ્થિર થયું હોય ને અમારો નિશ્ચય પણ દૃઢ હોય તો પણ તેના હૈયામાં આનંદ આવતો નથી તે મોટી ખોટ્ય છે. (5) અને કોઈ હરિજનનો દોષ દેખવામાં આવે, ત્યારે એનો ભારે સંસ્કાર છે તો સત્સંગ મળ્યો છે એમ ગુણ લેવો એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (6) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply