Amdavad 4



અમદાવાદ : ૪

સંવત 1882ના ફાગણ વદિ 3 તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ વેદિકા ઉપર ગાદી-તકિયો તેણે યુક્ત જે ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાઘ વિરાજમાન હતી, અને તે પાઘને વિષે ગુલાબના તોરા ઝૂકી રહ્યા હતા, ને શ્રવણ ઉપર ગુલાબના ગુચ્છ ખોસ્યા હતા, ને ગુલાબના અગણિત હાર તે કોટને વિષે વિરાજમાન હતા, અને બાજુબંધ બાંયે ગુલાબના બાંધ્યા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ મુનિમંડળ તથા હરિભક્ત પ્રત્યે એમ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 4 || (224)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમે અજન્મા, અજર, અમર ને માયાને આવરણે રહિત ને મૂર્તિમાન છીએ ને સર્વના આધાર ને સ્વામી છીએ અને નટની પેઠે મનુષ્ય રૂપે દેખાઈએ છીએ. (1) અને શ્રી નરનારાયણ જે અમે તે અમે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિષે પ્રગટ થઈને બદરિકાશ્રમમાં તપ કરીએ છીએ અને મચ્છ, કચ્છ, રામકૃષ્ણાદિક રૂપને ગ્રહણ કરીને જીવોના દેહાભિમાનનો ત્યાગ કરાવીને બ્રહ્મ અભિમાન ગ્રહણ કરાવીને અન્ય જીવોની પેઠે દેહનો ત્યાગ કરીએ છીએ જેમ નૃસિંહજી, ઋષભદેવ તથા શ્રીકૃષ્ણ ભગવાને દેહનો ત્યાગ કર્યો તેમ, અને એવાં અમારાં ચરિત્રને વિષે નાસ્તિક અને અભક્તની મતિ ભ્રમી જાય છે, ને અમારા ભક્ત મોહ નથી પામતા. અને શ્રી પુરૂષોત્તમ નરનારાયણ જે અમે તે અમે સર્વના કારણ છીએ અને અનેકરૂપે દર્શન આપીને અદૃશ્ય થઈએ છીએ ને અમારે વિષે મરણભાવ કલ્પે તેને ચોરાશી ને યમપુરીના દુ:ખનો અંત નથી આવતો. (2) અને અમને અજર, અમર જાણે તે ચોરાશી ને કર્મથી મુકાય છે. માટે આગળ થયા જે અવતાર અને હમણાં આ પ્રગટ પ્રમાણ જે અમે ને આગળ થશે જે અવતાર તે સર્વેમાં મરણભાવ પરઠશો નહિ. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply