Loya 11



લોયા : ૧૧

સંવત 1877ના માગશર વદિ 8 આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં પ્રાત:કાળને સમે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે વળી શ્રીજીમહારાજને શુકમુનિએ પ્રશ્ન કર્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 11 || (119)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, સત્શાસ્ત્ર થકી અવળું સમજે તે અસત્પુરુષ છે ને અતિ દુષ્ટ છે ને એનું ફળ ઘોરતમ નરક ને સંસૃતિ છે. (1) બીજામાં જે જે સ્થાનોમાં જે જે અવતારોની મૂર્તિઓ મનુષ્યરૂપે રહી હોય તે તે સ્થાનોને તે તે અવતારોનાં ધામ જાણવાં એટલે વૈકુંઠનાથની મૂર્તિ જે સ્થાનમાં મનુષ્યરૂપે વિરાજતી હોય તે સ્થાનને વૈકુંઠ તુલ્ય જાણવું અને તેના પાર્ષદોને વૈકુંઠના પાર્ષદો તુલ્ય જાણવા અને તે મૂર્તિને જેવી વૈકુંઠમાં છે તેવી જાણવી, તેમ જ ગોલોકવાસીની મૂર્તિ જે સ્થાનમાં મનુષ્યરૂપે દેખાતી હોય તે સ્થાનને ગોલોક તુલ્ય જાણવું અને તે મૂર્તિને ગોલોકમાં છે તેવી જાણવી અને તેના પાર્ષદોને ગોલોકના પાર્ષદો તુલ્ય જાણવા તેમ જ અક્ષરધામવાસી અમે છુપૈયા ધામને વિષે પ્રગટ થઈને મનુષ્યરૂપે દેખાયા છીએ, માટે અમે જેવા અક્ષરધામમાં છીએ તેવા જાણવા પણ કાંઈ ફેર જાણવો નહિ, અને પ્રથમ આવિર્ભાવ સ્થાન એવું જે છુપૈયાપુર તે તો અક્ષરધામ જ છે તેમાં તો શું કહેવું? પણ બીજાં જે જે સ્થાનોમાં અમે વિચર્યા તે તે સ્થાનોને પણ અક્ષરધામ તુલ્ય જાણવાં અને અમારા ભક્તોને અક્ષરધામમાં મુક્તો છે તેવા જાણવા. (2) અને અમારા અવતારની મૂર્તિઓ દ્વિભુજ છે અને જે ચર્તુભુજ-અષ્ટભુજની ભાવના કહી છે તે તો મનુષ્યરૂપ મૂર્તિને વિષે અને અન્ય આકારોને વિષે અવિવેકી મનુષ્યોને સમભાવ ન થાય માટે કહી છે. (3) અને તમને મળ્યા જે અમે તે તમારે અમારી મૂર્તિનું ધ્યાન કરવું પણ બીજા અમારા અવતારો થઈ ગયા તેમનું ધ્યાન કરવું નહિ. (4) અને સત્શાસ્ત્રનું શ્રવણ સત્પુરુષ થકી જ કરવું પણ અસત્પુરુષ થકી ન કરવું. (5) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply