Loya 13



લોયા : ૧૩

સંવત 1877ના માગશર વદિ 10 દશમને દિવસ પ્રાત:કાળને સમે શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ફેંટો બાંધ્યો હતો, ને બીજા ધોળા ફેંટાની બોકાની વાળી હતી, ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ચોફાળ ઓઢ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે કહ્યું જે, મોટેરા મોટેરા પરમહંસ પરસ્પર પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે,

અને ત્યાર પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 13 || (121)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં અમારે વિષે નિમગ્ન રહે તેને દેશકાળાદિક પરાભવ પમાડી શકે નહિ ને દેહમાં વર્તે એવા મુમુક્ષુને દેશકાળાદિક પરાભવ પમાડે. (1) બીજામાં જેમ આકાશમાં તારા ને ચંદ્ર રહ્યા છે તેમ અમારા તેજરૂપ અક્ષરધામને વિષે અમે ચંદ્રને ઠેકાણે છીએ અને તારાને ઠેકાણે અમારા મુક્ત છે એવી રીતે અમારે વિષે ને અમારા મુક્તને વિષે ભેદ છે અને જેમ રાજા ને રાજાના ચાકરોમાં ભેદ છે તેમ અમારે વિષે ને અક્ષરાદિક અવતારોને વિષે ભેદ છે, અને અમારા તેજરૂપ અક્ષરધામને વિષે અમારા સમીપમાં અમારા મુક્ત રહ્યા છે તેમને એ અક્ષરધામ રૂપ જે અમારું તેજ તેને વિષે લીન કરીએ, અર્થાત્ એ મુક્ત એક બીજાને દેખે નહિ એવી વિસ્મૃતિ કરાવીએ તે અમારું કર્તાપણું છે અને એ અમારા તેજરૂપ ધામને વિષે મુક્તની સેવાને અંગીકાર કરીએ અર્થાત્ સેવકને આધીનપણાનો ભાવ જણાવીએ તે અમારું અકર્તાપણું છે. અને એ અમારા તેજને પણ અમારે વિષે લીન કરીને સ્વરાટ્ થકા રહીએ અને એ અમારા તેજમાં રહેલા મુક્તોને અમારા ઐશ્વર્ય વડે ધારણ કરીએ અર્થાત્ અમારી મૂર્તિમાં રાખીએ તે અમારું અન્યથાકર્તાપણું છે અને અમને ને અમારા અક્ષરાદિક અવતારોને તથા અમારા સાર્ધમ્યપણાને પામેલા અમારા મુક્તોને પણ સરખા કહે તે દુષ્ટ મતવાળા ને અતિ પાપી છે ને તેનાં દર્શન પણ કરવાં નહિ, અને અમારી સત્તાના પ્રભાવવડે કરીને મૂળઅક્ષરાદિકથી લઈને વિષ્ણુપર્યંત સર્વેને ભગવાન કહેવાય છે, અને અમને લઈને આ મુક્તાનંદ સ્વામીને તો ભગવાન જેવા એટલે જેવા અમે છીએ તેવા જ કહેતાં અમારા તુલ્ય કહેવાય અને અક્ષરપર્યંત કોઈ અમારા જેવો થવા સમર્થ નથી; અમે એક જ ભગવાન છીએ એમ શ્રીજીમહારાજે કહ્યું છે. (2) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply