Gadhada Madhya 35



ગઢડા મધ્ય : ૩૫

સંવત 1880ના ભાદરવા સુદિ 11 એકાદશીને દિવસ રાત્રિ પાછલી છો ઘડી રહી ત્યારે શ્રીજીમહારાજ સૂતા ઊઠીને શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં જારની ખાણ ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી પછેડી ઓઢી હતી, ને શ્યામ છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી.

પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 35 || (168)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે શ્રીકૃષ્ણ જે અમે તે અમારી મૂર્તિના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા દેખાતો નથી. (1) અને અમારી ઉપાસના ને અમારાં ચરિત્ર કહેવાં ને સાંભળવાં ને અમારું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું તેણે કરીને કલ્યાણ થાય છે ને આત્મદર્શને કરીને તો અમારી ભક્તિમાં વિઘ્ન ન થાય એ પ્રયોજન છે. (2) ને સ્ત્રી-પુરુષ તે ગમે તેવાં ધર્મવાળાં ને સમાધિનિષ્ઠ હોય તો પણ સહવાસ રાખે તો તેમનો ધર્મ રહે જ નહિ, માટે અમે નિયમ કહ્યા છે તે પ્રમાણે રહેવું. (3) અને અમારી ઉપાસના, ચરિત્ર ને નામ-સ્મરણ એ ત્રણ વિના એકલા બ્રહ્મચર્યાદિક ધર્મે કરીને કલ્યાણ થાતું નથી અને જો એ ત્રણે હોય પણ ધર્મ ન હોય તો પણ કલ્યાણ ન થાય. (4) અને અમારા ચરિત્રનાં કાવ્ય સાંભળવાં પણ કબીર ને અખા આદિનાં કાવ્ય-કીર્તન કહેવાં, સાંભળવા નહિ. (5) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply