Kariyani 7



કારિયાણી: ૭

સંવત 1877ના કાર્તિક સુદિ 1 પડવાને દિવસ રાત્રિને સમે ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી, અને તે દીપમાળા મધ્યે મંચ હતો, ને તે ઉપર પલંગ બિછાવ્યો હતો, ને તે પલંગ ઉપર શ્રીજીમહારાજ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

પછી એવી રીતે શ્રીજીમહારાજની વાત સાંભળીને જે ગૃહસ્થ સર્વે સભામાં બેઠા હતા તેમણે હાથ જોડીને પૂછ્યું જે,

પછી એવાં શ્રીજીમહારાજનાં વચન સાંભળીને સર્વ હરિજન અતિશે રાજી થયા. પછી શ્રીજીમહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો જે,

પછી શ્રીજીમહારાજ અતિ પ્રસન્ન થકા બીજો પ્રશ્ન પરમહંસ પ્રત્યે પૂછતા હવા જે,

ઇતિ વચનામૃતમ્ || 7 || (103)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, દેહનાં સંબંધીની મમતા ન રાખે અને અમારે વિષે દૃઢ પ્રીતિ કરે અને અમારા સંતનો સમાગમ રાખે તો ગૃહસ્થને અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે. (1) બીજામાં જે નિર્બળ ભક્ત હોય તેમણે સાક્ષાત્ ભગવાન જે અમે તે અમારા આશરાનું બળ રાખવું. (2) ત્રીજામાં ચટકીનો વૈરાગ્ય ટળી જાય તો ખુવાર થાય છે અને એ વૈરાગ્ય દૃઢ રહે તો પરમપદને પામે છે. (3) ચોથામાં આત્યંતિક પ્રલયને વિષે અમે અમારા ચિદ્‌ઘન તેજમાં સદા દિવ્ય મૂર્તિમાન વિરાજમાન છીએ અને જીવોના કલ્યાણને અર્થે અમે રામકૃષ્ણાદિક અવતાર ધારણ કરીએ છીએ. તે અવતારોને મૂર્ખ જીવ માયિક ગુણે યુક્ત કહે છે અને અમે આત્યંતિક કલ્યાણ કરવાને અર્થે મનુષ્યરૂપે વિચરીએ છીએ તે અમને પણ મૂર્ખ જીવ માયિક ગુણે યુક્ત સમજે છે પણ અમે ગુણાતીત દિવ્ય મૂર્તિ જ છીએ, એમ કહીને પછી વેદાંતના દૃષ્ટાંત પૂર્વક પોતાનું દિવ્ય નિર્ગુણપણું ને સાકારપણું કહ્યું છે જે, અમે ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય સર્વ કાળને વિષે એકરૂપે સદા વિરાજમાન છીએ, એવી રીતે પ્રત્યક્ષ જે અમે તે અમારે વિષે દૃઢ નિષ્ઠા એટલે સાક્ષાત્કાર સ્થિતિ એ જ આત્યંતિક કલ્યાણ છે. (4) અને એવીનિષ્ઠાને પામીને સ્થાવર-જંગમમાં જ્યાં જ્યાં જુએ ત્યાં અમારી મૂર્તિને જ દેખે તે સિદ્ધદશાનું લક્ષણ છે. (5) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply