Sarangpur 14



સારંગપુર : ૧૪

સંવત 1877ના ભાદરવા સુદિ 3 ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને કાળા છેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્વેત ચાદર ઓઢી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, ને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા, અને પાઘમાં પીળા પુષ્પનાં છોગાં ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે પીળા પુષ્પનો હાર નાભિ સુધી હિંડળતો વિરાજમાન હતો, અને આથમણું મુખારવિંદ કરીને શ્રીજીમહારાજ વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

એવી રીતે શ્રીજીમહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા જે, લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું જે પૂછો. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી શ્રીજીમહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો જે,

પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 14 || (92)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૪) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વૈરાગ્ય, આત્મનિષ્ઠા, પ્રેમલક્ષણા ભક્તિ ને બ્રહ્મચર્યાદિક ધર્મ એ ચાર સાધન સિદ્ધ કરે તે અમારા ધામમાંથી કોઈ કાળે પડે નહિ અને અમારી ઇચ્છાથી જીવોનાં કલ્યાણ કરવા સ્વતંત્રપણે આવે ને જાય. (1) બીજામાં પ્રમાદ ને મોહ એ બે શત્રુને અમારો ભક્ત ખટકો રાખીને ટાળે તો જ ટળે. (2) ત્રીજામાં સ્થૂળ-સૂક્ષ્મ એ બે દેહની જાગ્રત ને સ્વપ્ન અવસ્થાને વિષે એકતા છે. (3) ચોથામાં સ્થૂળ-સૂક્ષ્મ બે દેહનું કર્મ સરખું છે પણ જીવને હિંમત દેવા સારુ સૂક્ષ્મ દેહનું પ્રાયશ્ચિત્ત અલ્પ કહ્યું છે પણ જો અલ્પ પ્રાયશ્ચિત્ત ન કરે તો સ્થૂળ દેહના જેટલું કર્મ લાગે. (4) અને જેને સ્થૂળ તથા સૂક્ષ્મ દેહનું અભિમાન નથી એટલે તેને દેહની વિસ્મૃતિ છે ને કેવળ આત્મસત્તારૂપ એટલે પોતાના આત્માને જ આકારે વૃત્તિ રહેતી હોય ને જગતની કોરે ઉપશમ રહેતું હોય તેને સ્થૂળ-સૂક્ષ્મ દેહનું કર્મ લાગતું નથી. (5) અને દેહાભિમાનીને કર્મ લાગે છે. (6) અને અજ્ઞાની જીવ યમપુરીમાં જાય છે. (7) અને અમારો જ્ઞાની ભક્ત ભાગવતીતનુએ કરીને અમારા ધામમાં રહે છે. (8) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply