Partharo



શ્રીજીમહારાજના વચનામૃતનો પરથારો

पातुं धर्ममधर्ममुत्खनयितुं श्रीभक्ति धर्माङ्गतो जातायोत्तरकोशलेषु दयया सर्वेश्वरेशाय च । तृप्तिं वाक्यसुधारसैर्विदधते नैजैर्निजानां मुहुः तस्मै श्रीहरयेऽनमोस्तु सहजानंदाय सद्वर्णिने ॥१॥

ज्ञानेन धर्मेण युतां विरक्त्या माहात्म्यबोधेन च यो निजस्य । प्रवर्त्तयामास भुवि स्वभक्तिं स श्रीहरिर्नोऽस्तु मतिप्रदाता ॥ २ ॥

अज्ञान संज्ञं गहनांधकारं निजाश्रितस्वान्तगुहागतं यः । अपाहरज्ज्ञानदिवाकरः श्री धर्माङ्गजन्मा जयति प्रभुः सः ॥३॥

प्रोक्तानि यानीह वचोऽमृतानि श्रीस्वामिना तेन निजाश्रितेभ्यः । तेषां लिखामः कतिचित्तदीय तुष्ट्यै यथा बुद्धि श्रुतं च ॥४॥

तत्रादौ श्रीहरेस्तस्य जन्मादि चरितं शुभं कथयामः समासेन तदीयानंददायकम् ॥५॥

અથ રહસ્યાર્થ પ્રદીપિકાટીકા પ્રારંભ્યતે

બા.૧ આ પરથારામાં બાબતો તેર છે, તેમાં પહેલીમાં શ્રીજીમહારાજે પોતાના અક્ષરધામનાં નામ તથા તેનું અપારપણું વર્ણન કર્યું છે.

બા.૨ બીજીમાં પોતાનાં નામ તથા પોતાનો મહિમા તથા શોભાનું અતિશયપણું વર્ણન કર્યું છે.

બા.૩ ત્રીજીમાં દુર્વાસાનો શાપ વર્ણન કર્યો છે.

બા.૪ ચોથીમાં ધર્મ-ભક્તિનો પ્રાદુર્ભાવ વર્ણન કર્યો છે.

બા.૫ પાંચમીમાં શ્રીજીમહારાજનો પ્રાદુર્ભાવ તથા નામકરણ તથા ઐશ્વર્ય તથા અધ્યયન કર્યું તે વર્ણન કર્યું છે.

બા.૬ છઠ્ઠીમાં પોતાનાં માતાપિતા જે ભક્તિ-ધર્મ તેમને દિવ્યગતિ આપી, તે વર્ણન કર્યું છે.

બા.૭ સાતમીમાં પોતે વનમાં તથા તીર્થોમાં વિચરીને, તીર્થોને સજીવન કર્યાં, અને અસુરોનો નાશ કર્યો અને અધર્મનો ઉચ્છેદ કરીને એકાંતિક ધર્મ સ્થાપન કર્યો, તે વર્ણન કર્યું છે.

બા.૮ આઠમીમાં રામાનંદ સ્વામીને મળ્યા ને તે થકી દીક્ષા લીધી ને રામાનંદ સ્વામી પોતાની ધર્મધુર સોપીને અંતર્ધાન થયા, તે વર્ણન કર્યું છે.

બા.૯ નવમીમાં સર્વેને સમાધિઓ કરાવીને પોતાનો અલૌકિક પ્રતાપ જણાવીને પોતાના આશ્રિત કર્યા. તથા મતવાદીઓને સમાધિ કરાવીને તેમના ઇષ્ટદેવરૂપે પોતે દર્શન આપીને તેમને પોતાના આશ્રિત કર્યા. ને જીવોનું મૂળ અજ્ઞાન ટાળીને, આત્યંતિક મોક્ષ કર્યો તે વર્ણન કર્યું છે.

બા.૧૦ દશમીમાં પોતે અન્નસત્ર તથા મોટા મોટા યજ્ઞ કર્યા, તે વર્ણન કર્યું છે.

બા.૧૧ અગિયારમીમાં મોટાં મોટાં શિખરબંધ મંદિરો કરાવી, તેમાં પોતાની મૂર્તિઓ પધરાવીને, તે તે મૂર્તિઓ દ્વારે ચમત્કાર જણાવ્યા, ને ઉત્સવ-સમૈયા કર્યા તથા સાધુ બ્રાહ્મણને તૃપ્ત કર્યા, તે વર્ણન કર્યું છે.

બા.૧૨ બારમીમાં શ્રીજીમહારાજનાં ચિહ્‌ન વર્ણન કર્યાં છે.

બા.૧૩ તેરમીમાં શ્રીજીમહારાજની સ્વાભાવિક ચેષ્ટા વર્ણન કરી છે.



Leave a Reply