Loya 4



લોયા : ૪

સંવત 1877ના કાર્તિક વદિ 14 ચૌદશને દિવસ પહોર એક દિવસ ચઢતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા, અને ધોળો સુરવાળ પહેર્યો હતો, અને ધોળી છીંટની ડગલી પહેરી હતી, અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી ઝીણેભાઈએ કહ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 4 || (112)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૩) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે અમારા ધામને વિષે રહ્યા થકા અમારી ઇચ્છાએ કરીને અનંતકોટી બ્રહ્માંડને વિષે અનંતરૂપે દર્શન આપીએ છીએ. (1) બીજામાં અમારી મૂર્તિ સદાય એક સરખી છે પણ જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી અમારી ઇચ્છાએ કરીને દેખાડીએ છીએ અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરીએ છીએ અને સદાય દ્વિભુજ છીએ તો પણ અમારી ઇચ્છાએ કરીને ક્યાંક ચતુર્ભુજ, અષ્ટભુજ, અનંત ભુજને દેખાડીએ છીએ તથા મચ્છ-કચ્છાદિક રૂપે દેખાઈએ છીએ. (2) અને અનંત કોટી બ્રહ્માંડને વિષે અમે અંતર્યામીરૂપે વ્યાપીને રહ્યા છીએ. (3) અને અમને નિર્દોષ સમજે તે માયાને તર્યા કહેવાય. (4) અને કલ્યાણની રીત એક સરખી છે પણ ભજનારા પુરુષના ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થાય છે. (5) અને અમારા જેવો થાવાને અક્ષરપર્યંત કોઈ સમર્થ નથી. (6) ત્રીજામાં અમારી પાસે તથા અમારા સંતની પાસે પોતાનું ધાર્યું ન કરાવવું અને ભૂંડા દેશકાળાદિકમાં મૂંઝાવું નહિ. (7) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply