Loya 3



લોયા : ૩

સંવત 1877ના કાર્તિક વદિ 13 તેરશને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં રાત્રિને સમે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળી છીંટની ડગલી પહેરી હતી. તથા રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો, ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમયને વિષે શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 3 || (111)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારો તથા અમારા સંતનો એટલે મુક્તનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તે કુટુંબનો તથા લોકલાજનો, રાજ્યનો, સુખનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે અને અમારા વચનમાં ફેર પડવા દે નહિ અને દૈહિક સુખ-દુ:ખમાં હર્ષ-શોક પામે નહિ. (1) અને એવો જે અમારો ભક્ત તેનો દેહ અપમૃત્યુએ કરીને પડે તો પણ એ ભક્ત અમારા ધામને જ પામે અને વિમુખ યમપુરીમાં જાય એમ સમજનારાને અમારો માહાત્મ્ય સહિત નિશ્ચય છે. (2) અને એવા નિશ્ચયવાળો અમારા ધામને જ પામે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply