Kariyani 8



કારિયાણી: ૮

સંવત 1877ના કાર્તિક સુદી 4 ચતુર્થીને દિવસ શ્રીજીમહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

અને તેને આઠે પહોર અંતરમાં આશ્ચર્ય રહ્યા કરે છે.(બા.૫)

ઇતિ વચનામૃતમ્ || 8 || (104)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, અમારું તેજ અક્ષરાદિક સર્વેમાં વ્યાપક છે અને અક્ષરાદિક સર્વેનું આત્મા છે અને અક્ષરાદિક સર્વેથી અતિશે વિલક્ષણ છે અને એ વ્યાપક તેજ તે નિર્ગુણ એટલે સૂક્ષ્મ છે. (1) અને એનું એ તેજ અક્ષરાદિક સર્વેનું આધાર થઈને બહાર રહ્યું છે અને તે સગુણ એટલે અતિશે અપાર છે. (2) અને એ બેય સ્વરૂપ છે તે અમારાં અલૌકિક ઐશ્વર્ય છે. (3) અને જે ભક્ત આવી રીતે અમારું નિર્ગુણ સ્વરૂપ સમજે તેને કાળ, કર્મ, માયા, બંધન કરવા સમર્થ થતાં નથી. (4) અને જે ભક્ત આવી રીતે અમારું સગુણ સ્વરૂપ સમજે તેને આઠે પહોર આશ્ચર્ય રહે છે. (5)બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply