Gadhada Pratham 73



ગઢડા પ્રથમ : ૭૩

સંવત 1876ના ચૈત્ર વદિ અમાસને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને શ્વેત ખેસ પહેર્યો હતો, અને શ્વેત ચાદર ઓઢી હતી, તથા શ્વેત ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સાધુ ચાર તથા પચાસને આશરે હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી શુકમુનિએ પૂછ્યું જે,

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 73 ||

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૬) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે કે વીર્ય કામનું રૂપ છે. (1) બીજામાં વીર્ય સૂક્ષ્મદેહ ભેળું રહે છે. (2) ત્રીજામાં સ્ત્રીના સંકલ્પથી વીર્યપાત થાય તે કાચો બ્રહ્મચારી છે અને સ્ત્રીનો સંકલ્પ ન થાય એવું યત્ન કરવું. (3) ચોથામાં દેહ- ઇંદ્રિયોથી પોતાને જુદો સમજીને શાસ્ત્રની મર્યાદા પ્રમાણે ક્રિયા કરે તેમાં પોતાને અકર્તા સમજે ને હર્ષ-શોક પામે નહિ એ સાંખ્યવાળાનું લક્ષણ છે અને સ્ત્રીનો સંગ કરે તો પણ ઊર્ધ્વરેતા રહે તે તથા અમારે વિષે પોતાના આત્માની એકતા કરીને પોતાને મુખે અમને જમાડી દે તે યોગવાળાનું લક્ષણ છે. (4) અને અમારી ઉપાસનાથી તથા નિર્વાસનિકપણાથી દૃઢ નિષ્કામી થવાય છે. (5) પાંચમામાં આત્મનિષ્ઠા ને અમારું ધ્યાન ને યથાર્થ જ્ઞાને સહિત વૈરાગ્ય એ વાસના જીત્યાનો ઉપાય છે. (6) અને મોટા પુરુષને વિષે નિર્દોષ બુદ્ધિ રાખે તે દોષે રહિત થાય છે ને દોષ પરઠે તે ભ્રષ્ટ થાય છે. (7) અને આત્મનિષ્ઠા ને અમારી મૂર્તિનો મહિમા સમજે તેને વાસના રહેતી નથી. (8) અને વાસના સમાધિમાંથી પાછો ખેંચી લાવે એવી બળવાન છે. (9) અને સમાધિમાં બ્રહ્મના પ્રકાશમાં અધિકપણું માને તો અમારી ઉપાસનાનો ભંગ થાય છે, માટે આ મૂર્તિનો દૃઢ નિશ્ચય કરવો. (10) અને છઠ્ઠામાં અમારે વિષે અધિક પ્રીતિ થવાનું કારણ તે અમારી વાર્તા તથા દર્શન વિના રહેવાય નહિ તે છે; અને મન અર્પ્યું હોય ને ન અર્પ્યું હોય તેનાં લક્ષણ કહ્યાં છે. (11) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply