Gadhada Pratham 62

[raw]

ગઢડા પ્રથમ : ૬૨

સંવત 1876ના ફાગણ વદિ 4 ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ચોક વચ્ચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, અને માથે શ્વેત પાઘ વિરાજમાન હતી, અને તે પાઘને વિષે શ્વેત પુષ્પના હાર તથા શ્વેત પુષ્પના તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી સ્વયંપ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી વળી નિર્વિકારાનંદ સ્વામીએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 62 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમને સર્વેથી જુદા અને સર્વેના નિયંતા ને સર્વેના કર્તાથકા નિર્લેપ જાણીને કોઈ રીતે ન ડગે એવો અમારો નિશ્ચય થાય તેને વિષે અમારા કલ્યાણકારી ગુણ આવે છે, પછી તે ભક્ત અમારા જેવો સમર્થ ને નિર્બંધ થાય છે. (1) બીજામાં આસુરી ને અતિ કુપાત્ર જીવ હોય તે સ્વભાવને મૂકે નહિ ને અમારો ને અમારા ભક્તનો દ્રોહ કરે ને અમારા ગરીબ ભક્તનું અપમાન કરે તેથી અમે દુ:ખાઈએ ને એનું ભૂંડું થાય. અને સાધુને લેશમાત્ર માન રાખવું નહિ. (2) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply