Gadhada Pratham 38

[raw]

ગઢડા પ્રથમ : ૩૮

સંવત 1876ના મહા સુદિ 1 પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઘોડશાળની ઓસરીએ ગાદલું નખાવીને વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે રાતા છેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો, ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમે શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત સામું જોઈને ઝાઝીવાર વિચારી રહ્યા ને પછી એમ બોલ્યા જે,

પછી મોટા આત્માનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 38 ||

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૧) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે, પોતાના મનનો નિરંતર તપાસ કરવો તથા અમારી મૂર્તિમાં નિમગ્ન રહી ન શકે તેને અમારાં લીલા-ચરિત્ર સંભારવાં, તથા અમારી મૂર્તિનું ચિંતવન કરવું, તથા બીજાના ઘાટને ટાળી નાખે એવા અમારા સમર્થ મુક્તનો સંગ કરવો ને પોતપોતાના ધર્મમાં રહેવું, અને અમારો મહિમા સમજીને નિર્વાસનિક થાવું. (1) અને અમારા વિના બીજો સંકલ્પ જ ન થાય ને આત્માપણે વર્તે ને અમારી ઉપાસના કરે તે સાચો ત્યાગી છે, અને અમારા વિના બીજું કાંઈ પોતાનું મનાય જ નહિ તે ખરો હરિભક્ત છે. (2) બીજા પ્રશ્નમાં જે સમજાવી શકે ને સમજી શકે તે જીવનું સ્વરૂપ કહ્યું છે. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply