Gadhada Chhellu 1

[raw]

અથ વચનામૃત ગઢડા છેલ્લું પ્રકરણમ્

ગઢડા છેલ્લું : ૧

સંવત 1882ના વૈશાખ વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના ફળિયાની માંહેલી કોરે આથમણે બાર ઓરડાની ઊંચી ઓસરીએ ગાદી તકિયે યુક્ત જે સુંદર રંગત ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને મસ્તકને વિષે જે મોટી શ્વેત પાઘ તેમાં સુંદર મોગરાના પુષ્પનો તોરો વિરાજમાન હતો, અને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, ને બે હાથને વિષે તે પુષ્પના ગજરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પરમહંસને પૂછ્યું જે,

તે કીર્તન-ભક્તિ જ્યારે કરી રહ્યા ત્યારે શ્રીજીમહારાજે એમ આજ્ઞા કરી જે,

ઇતિ વચનામૃતમ્ || 1 || (235)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. બીજું કૃપાવાક્ય છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે વૈરાગ્ય ન હોય તો બીજા મન ગમતા પદાર્થમાં અમારા જેવી પ્રીતિ થઈ જાય, ને આત્મનિષ્ઠા ન હોય તો દૈહિક સુખ-દુઃખમાં વૃત્તિ ચૂંથાઈ જાય. અને વૈરાગ્યે કરીને અમારી મૂર્તિ વિના બીજા માયિક આકાર ખોટા થઈ જાય છે. અને આત્મનિષ્ઠાએ કરીને માયિક સુખ-દુઃખ ખોટાં થઈ જાય છે. અને આત્મનિષ્ઠા ન હોય તો સમાધિમાંથી બહાર આવે ત્યારે ચાળા ચૂંથવા માંડે. (1) અને જ્ઞાનના અંગવાળાને અમારું અતિશે માહાત્મ્ય સમજાય ને અમને અંતર્યામી જાણે ને હેતના અંગવાળાથી અમારા વિના રહેવાય નહિ ને અમારે અર્થે ન કરવાનું પણ કરે ને એ બેમાંથી એકેય અંગ ન હોય તે ચાળા ચૂંથણો છે. (2) અને બીજામાં શિક્ષાપત્રી વાંચવી ને વાંચતાં ન આવડે તેણે સાંભળવી અને સંભળાવનાર ન હોય તો પૂજા કરવી. તેમાંથી ફેર પડે તેને એક ઉપવાસ કરવો એમ કહ્યું છે. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply