Amdavad 3



અમદાવાદ : ૩

સંવત 1882ના ફાગણ વદિ 2 દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો તે ઉપર વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાઘ વિરાજમાન હતી, ને તે પાઘને વિષે ગુલાબના ને ચમેલીના હાર વિરાજમાન હતા, તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે,

પછી શુકમુનિએ પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 3 || (223)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (3) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે પંચવિષયનું ચિંતવન તે જન્મ-મરણનો હેતુ છે તે માયામય શરીરની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તારૂપે રહીને અમારી મૂર્તિનું ચિંતવન કરે તે ચિંતવને કરીને જ્યારે ઉપશમદશાને પામે ત્યારે પંચવિષય જન્મ-મરણના હેતુ ન થાય. (1) બીજામાં અમારો અતિશે મહિમા સમજે અને અમારી તથા અમારા ભક્તની સેવા-ચાકરી-દર્શન કરવામાં અતિશે વેગવાન શ્રદ્ધા હોય તો ઉપશમ દશા આવે. (2) અને માની સેવકની સેવા અમને નથી ગમતી ને નિર્માની સેવક ઉપર અમે બહુ રાજી છીએ ને તે સાચો ભક્ત છે. (3) ત્રીજામાં અયોધ્યાવાસીની પ્રશંસા કરી ને પછી એમને કોઈ કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા એટલે સ્વધર્મનિષ્ઠ ને સત્સંગના ધોરણને જાણનારા ને સત્સંગના મમત્વવાળા પરમહંસ તથા એવા સત્સંગી ગૃહસ્થ તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈક એક જણાને એટલે સત્સંગના ધોરણને ન જાણનાર ને ધર્મે રહિત એવાને કહેવેથી કોઈ કામ કરવા દેવું નહિ, એમ સ્વધર્મનિષ્ઠ મોટેરા ત્યાગી-ગૃહીને આજ્ઞા કરી છે. (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply