Gadhada Madhya 9

[raw]

ગઢડા મધ્ય : ૯

સંવત 1878ના શ્રાવણ સુદિ 14 ચૌદશને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ મશરુના ચાકળા ઉપર વિરાજમાન હતા, ને તે સમે આનંદાનંદ સ્વામીએ પૂજા કરી હતી તે રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો, તથા રાતા કિનખાપની ડગલી પહેરી હતી, તથા મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબી રેટો બાંધ્યો હતો, તથા કમરે જરકશી શેલું બાંધ્યું હતું, તથા ગૂઢો અસમાની રંગનો રેટો ખભા ઉપર નાખ્યો હતો, અને હાથે રાખડીઓ બાંધી હતી, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે કીર્તન બોલીએ. પછી શ્રીજીમહારાજે કહ્યું જે લ્યો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 9 || (142)

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સર્વેથી પર એવા જે અમે તે તમને મળ્યા છીએ માટે અમારી મૂર્તિનું બળ અતિશે રાખવું અને અમારું સર્વોપરીપણાનું બળ હોય તો તેથી સત્સંગ બહાર જવાણું હોય તો પણ અમારે વિષેથી હેત ટળે નહિ ને તે અંતે અક્ષરધામને વિષે અમારે સમીપે રહેશે. (1) અને હમણાં સત્સંગમાં રહેતો હોય ને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હોય તો પણ અમારા સ્વરૂપની પાકી નિષ્ઠા ન હોય તો તે અમારા ધામ વિના બીજા લોકમાં જાય. (2) અને જેને અમારા સ્વરૂપનું બળ હોય તે જ એકાંતિક ને પાકો સત્સંગી છે, અને એ અશુભ દેશકાળાદિકને યોગે કદાપિ ધર્મમાંથી ચળી જાય તો પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થાય, પણ કલ્યાણના માર્ગથી પડે નહિ. (3) અને અમારા સ્વરૂપની નિષ્ઠામાં કાચ્ચપ હોય ને ધર્મથી ચળી જાય તો નરકમાં પડી ચૂક્યો એમ જાણીને કલ્યાણને માર્ગે ચાલી શકે નહિ. (4) અને જેને અમારે વિષે અતિશે પ્રીતિ હોય તેને કાંઈ કરવું રહ્યું નથી અને જેને અમારે વિષે અતિશે પ્રીતિ ન હોય તેને તો અમારો મહિમા સમજવો. (5) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply