Gadhada Madhya 61



ગઢડા મધ્ય : ૬૧

સંવત 1881ના શ્રાવણ વદિ 7 સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું, અને એક બીજું શ્વેત શેલું ઓઢ્યું હતું, અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 61 || (194)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા કહેલા નિયમ તથા અમારો નિશ્ચય તથા અમારા ભક્તનો પક્ષ એ ત્રણ વાનાં જેને હોય તે પાકો સત્સંગી છે. (1) અને અમારે ને અમારા સંતને અર્થે પોતાનું સર્વસ્વ કરી નાખે, ને સત્સંગને અર્થે માથું દે, અને અમે આજ્ઞા કરીએ તો પરમહંસ થાય તે સર્વે હરિભક્તમાં મોટો છે, અને ત્યાગી કનક-કામનીમાં લેવાય નહિ, ને નિયમ દૃઢ રાખે તે ત્યાગીમાં મોટો છે. (2) ને જ્ઞાની કે ત્યાગી હોય તેને પણ મોટા મનુષ્યનું સન્માન કરવું એમ કહ્યું છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply