Gadhada Madhya 57

[raw]

ગઢડા મધ્ય : ૫૭

સંવત 1881ના અષાઢ સુદિ 6 છઠને દિવસ સંધ્યા-આરતીને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્તક ઉપર શ્વેત પાઘ પુષ્પને તોરે યુક્ત વિરાજમાન હતી, અને શ્વેત ચાદર ઓઢી હતી, ને શ્વેત ખેસ પહેર્યો હતો. અને શ્રીજીમહારાજના મુખારવિંદ આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, અને મશાલનો પ્રકાશ થઈ રહ્યો હતો, અને મુનિમંડળ દુકડ-સરોદા લઈને ભગવાનના કીર્તનનું ગાન કરતા હતા.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 57 || (190)

રહસ્યાર્થ પ્રદી. — આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સત્તારૂપ એવો જે આત્મા તેને માયાનું આવરણ નથી તો પરમાત્મા નારાયણ વાસુદેવ જે અમે તે અમારે વિષે તો કોઈ જાતનું આવરણ હોય જ કેમ? એવો અમારો મહિમા જાણીને અમારે વિષે પ્રીતિ કરવી. (1) અને જે પદાર્થ અમારાથી અધિક જણાય અને અમારા ભજનમાં આડું આવે તેનો ત્યાગ કરવો. (2) અને અમારા કરતાં બીજું પદાર્થ વહાલું રાખે તે મીનડિયો ભક્ત છે. (3) અને અમારા સ્વરૂપનું જ્ઞાન કહેવામાં ઉપાધિ રહે તો પણ અમારી વાત કરવામાં કાયરપણું રાખવું નહિ. (4) અને અમારે વિષે પ્રીતિ કરવામાં અધૂરું રહે ને દેહ પડે તો પણ ઇન્દ્ર કે બ્રહ્માના જેવો તો દેહ આવશે જ એમ નિર્ભય રહીને અમારું ભજન કરવું. (5) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply