Gadhada Madhya 46



ગઢડા મધ્ય : ૪૬

સંવત 1880ના પોષ વદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળી છીંટની રજાઈ ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, ને ઝાંઝ-મૃદંગ લેઈને સંત કીર્તન ગાવતા હતા.

પછી કીર્તન ગાઈ રહ્યા ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

ઇતિ વચનામૃતમ્ || 46 || (179)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં જેને કોઈક જીવને લૌકિક પદાર્થની હાણ્ય-વૃદ્ધિ થતી દેખીને હર્ષ-શોક ન થાય, અને મોક્ષના માર્ગમાંથી પાછો પડે ત્યારે ખરખરો થાય તેને સત્પુરુષ કહ્યા છે. (1) અને અમે એકાંતિક ભક્તના ધર્મ પ્રવર્તાવવાને અર્થે પૃથ્વીને વિષે પ્રગટ થઈએ છીએ. (2) અને અમારો કે અમારા સંત એટલે સિદ્ધ મુક્તનો અભાવ આવે તે એકાંતિકના ધર્મમાંથી પડ્યો જાણવો, ને એ જ એનું મરણ છે. તે જો અમારે વિષે ને અમારા મુક્તને વિષે ક્રોધ પરઠીને અભાવ લે, તો તેને સર્પ જાણવો; અને જો અમારે કે અમારા મુક્તને વિષે કામ પરઠીને અભાવ લે તો તેને યક્ષ-રાક્ષસ જાણવો, અને તે ધર્મવાળો કે તપસ્વી હોય તો દેવલોકને પામે, પણ અમારા ધામને તો ન જ પામે. (3) અને પંચ મહાપાપીને પણ જો અમારો કે અમારા બત્રીશ લક્ષણે યુક્ત સંતનો અવગુણ ન આવ્યો હોય તો એનાં પાપ નાશ થાય, ને અમારા અક્ષરધામને પામે એમ શ્રીજીમહારાજે કહ્યું છે . (4) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply