Gadhada Madhya 10



ગઢડા મધ્ય : ૧૦

સંવત 1878ના શ્રાવણ વદિ 3 તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. પછી તે ફૂલવાડીને મધ્યે આંબાના વૃક્ષની હેઠે વેદી છે તે ઉપર ઉત્તરાદું મુખારવિંદ કરીને વિરાજમાન હતા, ને શ્રીજીમહારાજે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, તથા પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,

પછી શ્રીજીમહારાજ વાડી થકી દાદાખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી પછી અચિંત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે,

એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 10 || (143)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (3) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે બ્રહ્મરૂપ જે અમારી શક્તિ તેણે કરીને અમે મૂળઅક્ષરાદિક સર્વેને વિષે વ્યાપક છીએ અને તે બ્રહ્મ અમારી કિરણ છે અને મૂર્તિમાન સર્વેથી જુદા છીએ એવા અમને જાણીને અમારો આશ્રય કરે તે આત્યંતિક કલ્યાણને પામે છે. (1) બીજામાં અમારા સુખને સર્વેથી અધિક જાણે તે વૈરાગ્યનું સ્વરૂપ છે, અને અમને સર્વ ક્રિયાને કરતા થકા અકર્તા ને નિર્લેપ જાણે તે સાંખ્ય સંબંધી જ્ઞાન છે, અને વૃત્તિઓ સ્થિર કરીને અમારે વિષે જોડે તે યોગ સંબંધી જ્ઞાન છે, અને અમારાં મનુષ્ય ચરિત્રને દિવ્ય ને કલ્યાણકારી જાણીને દૃઢ આશ્રય કરે તે ભક્તિનું સ્વરૂપ છે. (2) ત્રીજામાં જ્ઞાન, વૈરાગ્યથી અમારે વિષે પ્રીતિ થવાનું દૈવત ભક્તિને વિષે અધિક છે. (3) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply