Gadhada Chhellu 33



ગઢડા છેલ્લું : ૩૩

સંવત 1885ના ફાગણ સુદિ 11 એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિષે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે સર્વે પરમહંસ આગળ એમ વાર્તા કરી જે,

અને પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે,

અને વળી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે,

ઇતિ વચનામૃતમ્ || 33 || (267)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં કૃપાવાક્ય (3) ત્રણ છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે પોતાના આત્માને પ્રકાશરૂપ અને સત્તારૂપ માને ને તેને વિષે અમારી આ પ્રત્યક્ષ મૂર્તિ વિરાજમાન છે એમ સમજે, ને આ અમારી મૂર્તિ વિના બીજા પ્રાકૃત આકારને અસત્ય ને દોષે યુક્ત સમજે તેની બુદ્ધિમાં કોઈ જાતનો ભ્રમ થાય નહિ. (1) અને એવાને પણ માન, દ્રવ્ય તથા રૂપવાન સ્ત્રીઓનો યોગ થાય તો ઠેકાણું રહે નહિ માટે એનો યોગ થવા દેવો નહિ. (2) બીજામાં સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે યુક્ત એવી અમારી અનન્ય ભક્તિ હોય તે અમારો એકાંતિક ભક્ત છે અને એનો અમારે વિષે પ્રવેશ થાય છે અને અમારી સેવાને વિષે બહારથી પણ રહે છે. (3) અને દેહ છતાં પણ જે ભક્તને અમારી દશ પ્રકારની ભક્તિ તથા અમારું માહાત્મ્ય તથા સ્વધર્મ, વૈરાગ્ય ને આત્મનિષ્ઠા તથા અમારા સંતનો સમાગમ તે વિના ચાલે જ નહિ. એવું બંધાણ હોય તેનો પણ અમારે વિષે પ્રવેશ જાણવો ને તે એકાંતિક છે. (4) અને જે કુસંગને યોગે અમારી ભક્તિને ભૂલી જઈને ચાળે ચડી જાય તે પ્રાકૃત દેહાભિમાની છે. (5) ત્રીજામાં સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ એ ચારમાં કાચ્યપ હોય તેની ભક્તિ રહે નહિ એ કાચ્યપનો ત્યાગ કરે તો અમારી નિશ્ચળ ભક્તિ થાય. (6) બાબતો છે.

|| -------x------- ||



Leave a Reply