Gadhada Madhya 54



ગઢડા મધ્ય : ૫૪

સંવત 1880ના જેષ્ઠ સુદિ 7 સપ્તમીને દિવસ ત્રીજા પોરને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ત્યાં ઘણીવાર સુધી તો ઘોડી ફેરવી, પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યાં હતાં, અને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી, ને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, ને પાઘને વિષે તોરો વિરાજમાન હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

ઇતિ વચનામૃતમ્ || 54 || (187)

રહસ્યાર્થ પ્રદી. -- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે જેવી દેહને વિષે આત્મબુદ્ધિ છે તથા સ્ત્રીપુત્રાદિકને વિષે પોતાપણાની બુદ્ધિ છે અને દેવની જે મૂર્તિઓ તેને વિષે જેવી પૂજ્યબુદ્ધિ છે, કહેતાં દેવને ચંદન-પુષ્પ, ધૂપદીપ, આરતી-થાળ અનેક પ્રકારની પૂજા-સેવા કરવામાં કોઈ પ્રકારે સંશય થતો નથી તેવી જ 'અભિજ્ઞજન' કહેતાં ભગવાનની મૂર્તિના સાક્ષાત્કારવાળા સત્પુરુષને વિષે આત્મબુદ્ધિ તથા પોતાપણાની બુદ્ધિ તથા દેવતાબુદ્ધિ હોય; અને તીર્થના જળને વિષે જેમ પવિત્ર કરવાપણાની બુદ્ધિ છે તેવી જ સત્પુરુષના પ્રસાદી જળને વિષે પવિત્ર કરવાપણાની બુદ્ધિ છે તેણે સર્વ સાધનથી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે અને એવી રીતે સત્પુરુષને વિષે બુદ્ધિ નથી તે 'ગો' કહેતાં બળદ અને 'ખર' કહેતાં ગર્દભ તુલ્ય છે. (1) બાબત છે.

|| -------x------- ||



Leave a Reply