Amdavad 6

[raw]

અમદાવાદ : ૬

સંવત 1882ના ફાગણ વદિ 6 છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ વેદિકા ઉપર ગાદી-તકિયો તેણે યુક્ત જે ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કોટને વિષે ગુલાબના હાર પહેર્યા હતા, ને પાઘને બેઉ કોરે ચંમેલીના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા, ને બેઉ કાન ઉપર ગુલાબના ગુચ્છ વિરાજમાન હતા, ને ગુલાબનો મોટો ગુચ્છ હસ્તકમળમાં લઈને મુખારવિંદ ઉપર વારંવાર ફેરવતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી સંધ્યા આરતી થઈ રહી તે કેડે કુબેરસિંહે શ્રીજીમહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે,

ત્યારે વળી કુબેરસિંહે કહ્યું જે,

ઇતિ વચનામૃતમ્ || 6 || (226)

રહસ્યાર્થ પ્રદી. — આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે અમે ભગવાન છીએ; સર્વે અવતારોના અવતારી, સર્વેના અંતર્યામી ને અક્ષરધામને વિષે તેજોમય ને સદા સાકાર ને અનંત ઐશ્વર્યે યુક્ત ને અનંત બ્રહ્માંડના રાજાધિરાજ છીએ ને અક્ષરબ્રહ્મ જે અમારું તેજ તેના પણ કારણ છીએ. માટે અમારી ક્રિયામાં સર્વે અવતારોના ચરિત્ર જોઈને અમને સર્વે અવતારોના અવતારી જાણીને અમારો નિશ્ચય કરવો તો તે નિશ્ચય ડગે નહિ. ને આજ તમને અમે ભગવાન મળ્યા છીએ ને અમે સર્વેના કારણ અવતારી ને અક્ષરધામના ધામી છીએ ને અમે નરનારાયણરૂપે, એટલે નરનારાયણને મિષે કરીને ધર્મભક્તિ થકી પ્રગટ થયા છીએ તે અમારું રૂપ આ શ્રી અમદાવાદને વિષે પધરાવ્યું છે. (1) બીજામાં અમારા તેજરૂપ જે અક્ષરબ્રહ્મ તે અનાદિ છે ને એને જ અમે બ્રહ્મમહોલ, અક્ષરધામ તથા ગોલોક નામે કહીએ છીએ. અને તે બ્રહ્મધામ તે અપાર છે ને તેને વિષે શોભાનું અધિકપણું છે. (2) અને એ અક્ષરધામમાં અક્ષરાતીત એવા અમારા મુક્ત રહ્યા છે તે સાકાર તેજોમય છે અને સર્વના અંતર્યામી છે ને અમારી સેવામાં નિરંતર તત્પર રહ્યા છે અને અમે સર્વેના સ્વામી છીએ આવો અમારો નિશ્ચય હોય તે જ એ ધામને પામે છે. (3) બાબતો છે.

|| ——-x——- ||

[/raw]



Leave a Reply